"અભ્યાસ, વાંચન કે અન્ય કામમાં એકાગ્રતા લાવવા માટે શું કરી શકાય?"
એકાગ્રતા માત્ર મનની સમસ્યા નથી, તેમાં શારીરિક સ્વાસ્થ્ય પણ એટલું જ કારણભૂત હોય છે. મગજ પણ સ્નાયુઓનું જ બનેલું હોય છે અને તેને ચુસ્તદુરુસ્ત રાખવા માટે પોષણ અને કવાયતની જરૂર પડે છે. જેવી રીતે કોમ્પ્યુટર અમુક વર્ષોના ઉપયોગ પછી ધીમું થઈ જાય છે, તેવી રીતે આપણા મગજને પણ ઘસારો લાગે છે. તેનાં માનસિક તેમજ શારીરિક કારણો હોય છે.
ચાર ટીપ્સ:
૧. માઈન્ડફૂલનેસ, એટલે કે જાગૃત અથવા સાવધ રહેવાની પ્રેક્ટિસ કરવી. રોજ થોડી મિનિટો માટે ક્યાંક બેસીને, આંખો બંધ કરીને શ્વાસોશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું.
૨. મગજ કસવું પડે તેવી રમતો, જેમ કે, સુડોકુ, ક્રોસ વર્ડ પઝલ, કોમ્પ્યુટર ગેમ્સ, વર્ડલ, જિગ્સો પઝલ, શતરંજ અથવા વાંચન જેવા શોખ વિકસિત કરવા.
૩. તંદુરસ્ત જીવન શૈલી, જેમ કે, પૂરતી ઊંઘ, વ્યાયામ અને હેલ્થી ડાયેટ મગજની ક્ષમતા વધારે છે. તેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને મગજનાં જ્ઞાનતંતુ વચ્ચે કનેક્શન મજબૂત થાય છે.
૪. સોશિયલ મિડિયાનો, ટીવીનો ઉપયોગ સીમિત કરવો, સંગીત સાંભળવાની ટેવ પાડવી, એક સાથે બહુ બધાં કામ ( મલ્ટીટાસ્કિંગ) ન કરવાં.
✍️ Raj Goswami
Показать полностью ...